Wednesday 11 July 2018

મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી Me Prabhuna kary ne kadi paltata joya nathi

મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી;
આંસુઓને આંખમાં પાછા જતાં જોયા નથી.

ખરતા નિહાળ્યા છે મેં ઘણા આ ગગનથી તારાઓ;
પણ ચાંદ-સૂરજને કદી, ખરી જતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી


દોષ ન દે માનવી, વાતા વિશ્વના વાયુને;
જળચરોને જળ મહીં, રૂંધાતા કદી જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી

સાધનાઓ ખૂબ કીધી, "નાઝીર" મેં આ વિશ્વમાં;
માનવીને મેં કદી પ્રભુ થતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી.

Me Prabhuna kary ne kadi paltata joya nathi



No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...