Wednesday 4 July 2018

જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે janam Je sant ne aape janeta ej kahevaye

જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે
અગર શુરો અગર દાતા ગુણો જેના સકળ ગાયે
જનમ જે સંત ને....

ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી
નકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારી
જનમ જે સંત ને....

કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી
કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી
જનમ જે સંત ને....

પીતા ની ટેક ને ખાતીર ના લાગી દેહ પણ પ્યારી
ધન્ય એ બાળ ચૈલયો ધન્ય સંગાવતી માઇ
જનમ જે સંત ને....

નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી
છતાં વૈરાગ પણ દિધો માત મેનાવતી માઇ
જનમ જે સંત ને....

સંનારી હોય તે સમજે હ્રદય ની વાત ને મારી
જનેતા ને ઉદર જન્મયા ક્રિશ્ન ને રામ અવતારી
જનમ જે સંત ને....

જનેતા તોજ તુ જણજે સપુત નર સંત કે શાંણા
ન જનમે ચતુર ચદુ તો ભલે પેટે પળે પાંણા
જનમ જે સંત ને...

janam Je sant ne aape janeta ej kahevaye

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...