Wednesday 4 July 2018

કે જો રે સંદેશો ઓધા શ્યામને Kejo re sandesho odha shyam ne

કે જો રે સંદેશો ઓધા ! શ્યામને…તમે છો મોયલા આધાર રે‚
નીરખ્યા વિના રે મારા નાથ‚ સૂનો આ લાગે સંસાર રે…
કે જો રે સંદેશો…

દિન દિન દુઃખડાં અતિ ઘણા‚ જોબન વહ્યાં વહ્યાં જાય રે ;
ગોવિંદા વિના રે ઘેલી ગોપીયું‚ અગની કેમ રે ઓલાય રે…
કે જો રે સંદેશો…

રતું રે પલટિયું વનડાં કોળિયા‚ બોલે બાપૈયા રૂડા મોર રે ;
પિયુ પિયુ શબદ સોહામણા‚ ચિત્તડું નો રિયે મારૂં ઠોર રે…
કે જો રે સંદેશો…

જીવન ઓધાજી ! મારું જે થકી‚ અળગા કેમ રે રે વાય રે ;
જળ રે વિછોઈ જેમ માછલી‚ જળમાં રિયે તો સુખ થાય રે…
કે જો રે સંદેશો…

બળેલાંને શું બાળીએ ? કાનજી વિચારો મનડા માંય રે ;
દરદીને દુઃખડાં તું દઈશ મા‚ દરદ સહ્યાં નવ જાય રે…
કે જો રે સંદેશો…

આ રે સંદેશો વ્રજનારનો‚ વાંચીને કરજો વિચાર રે ;
દરશન દેજો મોરારને‚ સાનમાં સમજી લેજો સાર રે…
કે જો રે સંદેશો…

Kejo re sandesho odha shyam ne 
tame chho moyla aadhar re
nirkhya vina re mara nath suno lage aa sansar

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...