Wednesday 11 July 2018

જોલીમાં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર.joli ma hoy jene jagir ene aambe nahi koi amir

જોલીમાં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર.
એવી જેની જોલીમાં જાગીર

અલખ ઝોળી ને ખલક ખજાનો, જેના હૈયામાં સાચું હીર;
માણેક મોતી જેવા શબ્દ મુખમાં, નયનોમાં વરસે સાચા નીર
એવી જેની જોલીમાં જાગીર


વેદ વિવેકને રાખી વચનમાં ભાંગે ભવની ભીડ
દુર્ગુણ દાબી પછી સદ્ ગુણ સરજે, ઘરબી હૈયામાં સાચી ધીર
એવી જેની જોલીમાં જાગીર

માયા કાયા નાં પકડી મુદ્દા, જકડીને તોડે ઝંઝીર
ગર્વ ગાળી નવરાવે ગંગાજીમાં, પછી તારે ભવ ગતિ તીર
એવી જેની જોલીમાં જાગીર

પાપીને દ્રષ્ટિથી પાવન કરે, પલમાં સ્થાપે પીર
"નટુદાન" કહે નારાયણ પ્રતાપે, ફેરવે લલાટની લકીર
એવી જેની જોલીમાં જાગીર

joli ma hoy jene jagir ene aambe nahi koi amir

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...